પહેલી જ મુલાકાતમાં અજય ની ખરાબ વાતો કરવા લાગી હતી કાજલ, પછી આ રીતે એકબીજાની પાસે આવ્યા
April 02, 2020
જ્યારે તમે કોઈની સાથે લગ્ન કરો છો તો તેમના વિશે રોજ નવી નવી વાતો જાણવા મળે છે. તમે તેમની સારી વાતો અને ખરાબ વાતો સારી રીતે જાણતા હોવ છો. તમે ખુદ ના પાર્ટનરના અનુસાર એડજસ્ટ પણ કરો છો. લગ્નમાં ઘણા એવા પલ આવે છે જ્યારે તમે એકબીજાથી રહી નથી શકતા અથવા તો એકબીજાનું મોઢું પણ જોવા નથી ઇચ્છતાં નથી. પરંતુ ઉતાર-ચઢાવ બધા જ લગ્નજીવનમાં આવે છે. આવા જ એક લગ્ન કાજોલ અને અજય દેવગન ના પણ છે. અજય અને કાજોલ વ્યક્તિત્વ માં એકબીજાથી ખુબજ અલગ છે પરંતુ આ બંને છેલ્લા 21 વર્ષથી ખુશહાલ લગ્ન જીવન વિતાવી રહ્યા છે.
24 ફેબ્રુઆરી 1999 ના દિવસે અજય અને કાજોલના વિવાહ એકબીજા સાથે થયા હતા. આ લગ્નથી તેમને બે બાળકો ન્યાસા અને યુગ થયા. કાજલ ખૂબ જ વાતો કરતી મહિલા છે જ્યારે અજય ઓછું બોલવાનું પસંદ કરે છે. હાલમાં જ હિન્દુસ્તાન ટાઇમ્સ ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કાજોલે પોતાના અજય વિશે ઘણી વાતો શેર કરી છે. જ્યારે કાજોલને પૂછવામાં આવ્યું કે અજય એક પતિ, એક્ટર અને પ્રોડ્યુસર ના રૂપ માં કેટલા અલગ છે તો તેના ઉપર કાજોલે જવાબ આપ્યો કે હું અજય ના આ ત્રણેય વર્ઝન ને ખૂબ જ સારી રીતે જાણું છું. સાચું કહું તો અજય ના વિશે જેવું મેં વિચાર્યું હતું તે ઘણા હદ સુધી તેવા જ છે.
આવી રીતે થઇ હતી પહેલી મુલાકાત
એક ઇન્ટરવ્યૂમાં કાજોલે પોતાની અને અજયની લવ સ્ટોરી ઉપર વધુ ચર્ચા કરી હતી. પોતાની પહેલી મુલાકાતને યાદ કરતા કાજોલે કહ્યું અમે 25 વર્ષ પહેલાં હલચલ ફિલ્મના સેટ ઉપર મળ્યા હતા. હું શોર્ટ આપવા માટે રેડી હતી એટલા માટે પુછ્યું મારો હીરો ક્યાં છે ત્યારે કોઇએ અજય તરફ ઈશારો કર્યો. તો તે ખૂણામાં ચૂપચાપ બેઠા હતા. તો તેમને મળ્યાના દસ મિનિટ પહેલા મેં તેમનું ઘણું જ ખરાબ રહ્યું હતું. ત્યારબાદ અમે સેટ ઉપર વાતો કરતા-કરતા દોસ્ત બની ગયા. તે દરમિયાન અમે બંને બીજા કોઈને ડેટ કરી રહ્યા હતા. ત્યારે મેં તે સમયે બોયફ્રેન્ડની સામે અજય નું ખરાબ કહ્યું હતું. ત્યારબાદ અમે બંને અમારા જૂના પ્રેમીને છોડી દીધા હતા.
ક્યારેય પણ નથી કર્યો એકબીજાને પ્રપોઝ
કાજોલ આગળ કહે છે કે અમે બંને એકબીજાને પ્રપોઝ નથી કર્યો. અમારી વચ્ચે એ અન્ડરસ્ટેન્ડિંગ હતી કે અમે સાથે રહેવાના છીએ. અમે હંમેશા ડિનર અને કાર ડ્રાઈવ ઉપર જતા હતા. તે જૂહુમાં રહેતા હતા અને અમે સાઉથ મુંબઈમાં હતી. આ ચક્કરમાં અમારું વધુ રિલેશનશિપ કારમાં વીતતું હતું. મારા મિત્રે અજય ને લઈને ચેતવણી પણ આપી હતી તેમનું કહેવું હતું કે તે તેમની રેપ્યુટેશન ઘણી છે પરંતુ તે તારાથી ખૂબ જ અલગ છે.
કાજોલના પિતા લગ્નથી ખુશ ન હતા
કાજલ કહે છે કે ચાર વર્ષ સુધી ડેટ કર્યા પછી અજય અને મેં લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો. અજય ના ઘરવાળા તો રાજી હતા પરંતુ મારા પપ્પા આ લગ્ન માટે ખુશ હતા નહીં. તે એવું ઇચ્છતા હતા કે અત્યારે હું મારા કરિયર ઉપર ધ્યાન લગાવવું પરંતુ મારું ડિસિઝન પાક્કું હતું એટલા માટે તે પણ રાજી થઈ ગયા.